Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મગજની બિમારીથી પીડિત જુના રાજપરાના યુવાનનો ઝેરી દવા પી આપઘાત : બે દિ'ગૂમ રહ્યા બાદ લાશ મળી

ભાવનગર, તા. ર૯ :  તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પીથલપુર નજીકના આમળા ગામે યુવાનની દુર્ગંધ આવતી લાશ પડી હોવાનું જણાતા તુરંત જ સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સરપંચે દાઠા પો. સ્ટે.માં જાણ કરતા દાઠા પી.એસ.આઇ. નિલેષભાઇ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે પી.એસ.આઇ. ગોહિલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે લાશની ઓળખ તેના ખિસ્સામાં રહેલા મોબાઇલ પરથી થવા પામેલ તે જુના રાજપરા ગામના  ભીખાભાઇ છગનભાઇ ઢાપા નામનો યુવાન હોવાનું બહાર આવેલ. અને તેના વાલીને જાણ કરતા તેઓ આમળા ગામે દોડી આવ્યા હતા.

લાશ પાસેથી મોનો કોટો નામની દવાની બોટલ મળી આવી હતી. આથી તેણે તે દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૃતક યુવાનના વાલીઓના જણાવ્યા પ્રમાણે ભીખાભાઇ મગજની બિમારીથી પીડાતા હતા અને બે દિવસથી ગુમ થયા હતા આજી બે દિવસ પૂર્વે તેમણે આમળા ગામે આવીને દવા પી આપઘાત કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. બનાવ સંદર્ભે દાઠા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)