Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વિજયભાઈની અપીલને પગલે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૫૧ લાખનો ચેક અર્પણ

(ભુજ) કોરોના સામેનો જંગ લડવા માટે રાજ્ય સરકારની સાથે સંસ્થાઓ અને દાતાઓ પણ આર્થિક સહાય માટે આગળ આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈની અપીલને કચ્છમાંથી પણ સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે. દેશ વિદેશના લાખો હરિભક્તોના શ્રદ્ધા રૂપ એવા ભુજ સ્વામિનારાયણ મંદિરે પણ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મંદિર વતી ૫૧ લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીશ્રી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી સુખદેવદાસજી, સ્વામી દિવ્યસ્વરૂપદાસજી અને ટ્રસ્ટીમંડળ દ્વારા ચેક અર્પણ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હંમેશા કુદરતી આપત્તિ સમયે ભુજ સ્વામિનારાયણ મંદિર સેવાકીય કાર્યો સાથે આર્થિક અનુદાનમાં પણ અગ્રેસર રહે છે.

(2:01 pm IST)