Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જુનાગઢમાં કોંગ્રેસ લોકો માટે ખડેપગે

કાયદો-વ્યવસ્થા જાળવવા શહેર કોંગ્રેસ પ્રમુખની અપીલઃ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

જુનાગઢ તા. ર૮: જુનાગઢ સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસને લઇ જે લોકડાઉન (કફર્યુ) છે ત્યારે લોકોને મુશ્કેલીમાં સહભાગી થવા માટે કોંગ્રેસ તત્પર છે તમારા પરિવારની આરોગ્યની ચિંતા અથવા તો આપના પરિવારમાં કોઇપણ જાતની મુશ્કેલી હોય તો અમોને હેલ્પલાઇન નંબર પર જાણ કરો. તમારો એક ફોન જ કરવાનો છે તમારે કોઇ જ જગ્યાએ આવવાની જરૂર નથી તમારે ત્યાં અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા પહોંચી જશે તમારી જે કોઇ મુશ્કેલી (જરૂરિયાતમંદ લોકોને) હશે પૂરી કરશે.

કાયદો અને વ્યવસ્થા જાળવી કોઇ લોકોએ જનતા કફર્યુ ને ધ્યાને લઇ ભેગું થવાનું નથી ફકત હેલ્પ લાઇન નંબરઃ +૯૧૭૬૦૦૧૩૯૦૦૧, +૯૧૯૮૭૯ર૪૧પપ૪, +૯૧૮૪૬૦૧૯૭૯૮૮, +૯૧૯૮રપ૩૪૭૯૦૦ તથા અમીત પટેલ પ્રમુખ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ મો. +૯૧૯૦૩૩૭૬૦૭૩૭, ભીખાભાઇ જોશી-ધારાસભ્ય મો. +૯૧૯૮રપ૩૮૯૪ર૮નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(11:54 am IST)