Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લામાં લટાર મારવા નીકળેલા ૨૫૦ વિરૂદ્ઘ ગુનો

ભાવનગરઃ કોરોના વાયરસની બીમારીને ફેલાતી અટકાવવા માટે ૨૧ દિવસનું લોકડાઉન ઉપરાંત ધી એપિડેમીક ડીસીઝ એકટ,કલમ ૧૪૪ અંતર્ગત જાહેરનામું અમલમાં હોવા છતાં લોકો આ જાહેરનામાનો ભંગ કરતા જોવા મળે છે.

ભાવનગર રેન્જના ભાવનગર જિલ્લામાં ૭૧ વ્યકિત,બોટાદ જિલ્લામાં ૭૨ વ્યકિત અને અમરેલી જિલ્લામાં ૯૨ વ્યકિત વિરૂદ્વ જાહેરનામાનો ભંગ કરવા બદલ આઈ.પી.સી.કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે અગત્યના કામ વગર દ્યરની બહાર ન નીકળવા તેમજ સંતાનોને સ્કૂટર,બાઈક કે કાર સહિતના વાહન લઈને બહાર ન નીકળવા દેવા રેન્જ ડી.આઈ.જી.અશોકકુમાર યાદવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:53 am IST)