Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

હરિદ્વારમાં ફસાયેલા સુ.નગરના યાત્રાળુઓ આજે વતન પરત

વઢવાણઃ હરિદ્વારમાં કથા અને યાત્રા માટે ગયેલા સુરેન્દ્રનગર ના યાત્રી ફસાયા હતા. તેમને વતન પરત લાવવા માટે સુરેન્દ્રનગર ના વતની અને જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે હરિદ્વાર ગુજરાતી સમાજ નો સંપર્ક કરી આપણા યાત્રીઓને પરત લાવવા માટે પ્રયાસો કરેલ. આરજી ફાઉન્ડેશનના મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા , કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલ, સુરેન્દ્રનગરનાં સાંસદ ડો. મુંજપરા  વિ.ના પ્રયાસથી ૮૦ યાત્રીઓની ૨ બસ હરિદ્વાર થી રવાના થઇને શુક્રવારે બપોરે જયપુર પહોચી હતી. તમામ યાત્રાળુઓને જયપુર ગુજરાતી સમાજદ્વારા ભોજન પાણીની પણ વ્યવસ્થા થઇ હતી. આજે યાત્રીઓ વતન હેમખેમ પહોચી જશે. વતન આવવા રવાના થયેલ યાત્રિકોની તસ્વીર.

(11:52 am IST)