Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોને કોરોના છે એ ગેરસમજ : કચ્છ પોલીસ દ્વારા માર્ગદર્શન

(ભુજ) કોરોનાને કારણે હોમ કવોરેન્ટાઇનમાં રખાયેલા લોકો કયાંક ચિંતા અનુભવી નાસી છૂટે છે, તો અડોશપડોશમાં રહેતા રહેવાસીઓને પણ કોરોનાનો ભય લાગે છે. આવા સંજોગોમાં પશ્યિમ કચ્છ પોલીસે વધુ એકવાર સામાજિક જાગૃતિની પહેલ કરી છે. હેલ્પલાઇન, શ્રમજીવી વર્ગ માટે ફૂડ પેકેટ, રાશનકીટનું વિતરણ કર્યા પછી હોમ કવોરેન્ટાઈનમાં રહેલા લોકોને સમજાવવા માટે પોલીસ આગળ આવી છે. ડીવાયએસપી જે.એન. પંચાલ ગઈ કાલે ભુજના સંજોગનગર વિસ્તારમાં હોમ કવોરેન્ટાઈનમાં રખાયેલા લોકોને મળ્યા હતા. કવોરેન્ટાઈન દરમ્યાન તેમની અને તેમના પરિવાર તેમ જ અન્ય લોકોની સલામતી માટે ૧૪ દિવસ દ્યેર રહેવા વિશે સમજાવ્યા હતા. તો, હોમ કવોરેન્ટાઈન કરાયેલા લોકોને કોરોના છે એ માન્યતા એ ગેરસમજ છે. તેઓ બહારગામથી આવ્યા હોઇ સલામતીના કારણોસર તેમને અલગ રાખવા માટે કવોરરન્ટાઇન કરાયા છે. તેમના દ્યર બહાર બોર્ડ પણ અન્ય લોકો તેમના સંપર્કમાં ન આવે તે હેતુ થી જાગૃતિ માટે લગાડવામાં આવ્યું છે. લોકો સરકાર અને તંત્રને સહયોગ આપે તેવી અપીલ પશ્યિમ કચ્છ પોલીસ દ્વારા કરાઈ છે.

(11:42 am IST)