Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબી નજીક બરવાળા ગામની સીમમાં 27 પશુઓના મોતથી પંથકમાં અરેરાટી

ઝેરી પદાર્થ ખાવાથી પશુઓના મોત થયાનું પ્રાથમિક તારણ

મોરબી નજીકના બરવાળા ગામમાં એક બાદ એક  કુલ ૨૭ જેટલા પશુઓના મોત થતા સમગ્ર પંથકમાં  અરેરાટી વ્યાપી ગઈ છે અને પશુઓના મોતથી પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના બરવાળા ગામની સીમમાં અનેક પશુના મોત થયાને પગલે ગ્રામજનો સીમમાં દોડી ગયા હતા અને તપાસ કરતા ૨૭ પશુઓના મૃતદેહ પડ્યા હતા જે અંગે ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃતક પશુઓમાં મોટાભાગના આખલા હોય અને કોઈ ઝેરી પદાર્થ ખાવાથી પશુઓના મોત થયા હોય તેવું પ્રાથમિક તારણમાં જણાઈ રહ્યું છે અને કોઈ ઈસમો દ્વારા આખલા જેવા પશુઓને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોય તેવી આશંકાને પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જીવદયાપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ છે

(12:48 am IST)