Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોરબીના બોરીચાવાસમા પરિણિતા અલ્પાબેન નાગડાનો સળગી જઇ આપઘાત

મોરબી, તા. ર૭ :  મોરબીના બોરીચાવાસમાં પરિણીતાએ પોતાના માવતરના ઘરે કોઇ કારણોસર કેરોસીન છાંટી સળગી જતા તેણીનું મૃત્યુ નીપજયુંૈ હતું.

મળતી વિગતો મુજબ મોરબીના બોરીચાવાસમાં રહેતા અલ્પાબેન સંદીપભાઇ નાગડા (ઉ.ર૮) વાળીએ પોતાના માવતરના ઘરે કોઇ કારણોસર કેરોસીન છાંટી સળગી જતા તેણીનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ પી.એસ.આઇ. વી.કે. ગોંડલીયા ચલાવી રહ્યા છે.

(1:05 pm IST)