Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જામજોધપુરમાં સવજાણી પરિવાર આયોજીત ભાગવત સપ્તાહનો વિરામઃ પોરબંદરના શાસ્ત્રી પૂ.ચંદ્રેશભાઇ સેવકના વ્યાસાસને વિવિધ પ્રસંગોની ઉજવણીઃ વેદાંતાચાર્ય પૂ.પરિમલભાઇ કીતાના આચાર્ય પદે શુક્રવારે રાંદલ માતાજીના સમુહ લોટા-શ્રીહરસિધ્ધિ માતાજીનો પાટોત્સવ

જામજોધપુરઃ જામનગર જીલ્લાના જામજોધપુર ખાતે સવજાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. શ્રીમદ્ ભાગવત કથા કાલે વિરામ લીધો છે ગઇકાલે પોરબંદરના શાસ્ત્રી પૂ.ચંદ્રેશભાઇ સેવકના વ્યાસાસને આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ''અકિલા'' ના મોભી શ્રીકિરીટભાઇ ગણાત્રા, ''અકિલા'' પરિવારના મોટા બહેન અને ''મહિલા ક્રાંતિ'' ના તંત્રી મીનાબેન ચગ,''અકિલા'' પરિવારના બનેવી શ્રી લલિતભાઇ સવજાણી, શ્રીમતી ભારતીબેન સવજાણી  ''અકિલા''ના જામજોધપુરના પત્રકાર મહેશભાઇ મકવાણા, દર્શનભાઇ મકવાણા, અશોકભાઇ ઠકરાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કથાકાર પોરબંદરના શાસ્ત્રી પૂ.ચંદ્રેશભાઇ સેવકની કથાનુ રસપાન કરીને વ્યાસપીઠનુ પૂજન કર્યુ હતું.

જામજોધપુરમાં સમસ્ત સવજાણી પરિવાર ની ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહી જામજોધપુર ના વિવિધ ધાર્મીક સ્થળો ના દર્શનનો લાભ લેતા અકિલા પરિવાર ના મોભી કિરીટભાઈ ગણાત્રા જામજોધપુર મુકામે સમસ્ત સવજાણી પરિવાર દ્વારા હરસીધી માતાજીના મંદિરે શાસ્ત્રીશ્રી ચંદ્રેશભાઈ સેવક ના વ્યાસ સ્થાને યોજાયેલ શ્રી મદ ભાગવત સપ્તાહ માં અકીલા પરિવાર ના મોભી કિરીટભાઈ ગણાત્રા કથા નું રસપાન કરવા પધારેલ તે વખતે સવજાણી પરિવાર ના કાન્તિભાઈ સવજાણી, લલીતભાઈ સવજાણી ,કિરીટભાઈ સવજાણી, મહેન્દ્રભાઈ સવજાણી , ભારતીબેન સવજાણી સહિત સમસ્ત સવજાણી પરિવાર દ્વારા આવકારી સન્માન કરાયું હતું . તેમજ કિરીટભાઈ દ્વારા કથાની મીઠી મધુરવાણી નું રસપાન કરાયું હતું ત્યારબાદ, જામજોધપુર ના વિવિધ ધર્મ સ્થળો જેમાં શ્રીજી દર્શન હવેલી ખાતે દર્શન નો લાભ લીધો હતો જયાં શ્રીજી દર્શન હવેલી મુકામે સંજયભાઈ રાજાણી , લોહાણા સમાજના આગેવાન રમેશભાઈ રાયઠઠાઠા , મહેશભાઈ ગઢેચા વગેરે સ્વાગત સન્માન કરતાં કિરીટભાઈ ભાવ વિભોર બની ગયા હતા ત્યારબાદ જામજોધપુર રોકડીયા હનુમાન ભકતમંડળ દ્વારા સંચાલિત અન્નક્ષેેત્ર તેમજ રોકડીયા હનુમાન મંદિરની મુલાકાત કરી હતી જયાં રોકડિયા હનુમાન દાદા ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતા અને અન્નશેત્ર ની મુલાકાત લઈ તેમની સેવાકીય પ્રવુતિ ની વિગતો જાણી હતી જયાં કિરીટભાઈનું સન્માન રોકડિયા હનુમાન મંદિરના ગુરુવરીય લખુદાદા તેમજ ગોસ્વામી સમાજના અગ્રણી તેમજ રોકડિયા હનુમાન મંદિરની તાજેતરમાં જ જેમને ગાદીપતિની જવાબદારી સાઙ્ખપી છે તેવા રાજુગીરી મેધનાથી ,રોકડિયા હનુમાન ભકત મંડળના સદસ્ય તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ ડાડાભાઈ ગઢવી , કાન્તિઅદા સવજાણી ,ડી. કે .કાજિયા વગેરે દ્વારા કિરીટભાઈ ગણાત્રા તેમજ લલિતભાઈ સવજાણી , ભારતીબેન સવજાણી , મીનાબેન ચગ ( જૂનાગઢ) નું સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું ત્યારબાદ જામજોધપુર ના પ્રસિદ્ઘ જલારામ મંદિર ની મુલાકાત લઈ પૂજય જલારામ બાપાના દર્શન કરી કિરીટભાઈ એ ધન્યતા અનુભવી હતી દર્શનબાદ જલારામ મંદિરના પ્રમુખ વિજય સવજાણી સહિત સમસ્ત સવજાણી પરિવાર દ્વારા આવકારી સન્માન કરાયું હતું . તેમજ કિરીટભાઈ દ્વારા કથાની મીઠી મધુરવાણી નું રસપાન કરાયું હતું ત્યારબાદ, જામજોધપુરના વિવિધ ધર્મ સ્થળો જેમાં શ્રીજી દર્શન હવેલી ખાતે દર્શન નો લાભ લીધો હતો જયાં શ્રીજી દર્શન હવેલી મુકામે સંજયભાઈ રાજાણી , લોહાણા સમાજના આગેવાન રમેશભાઈ રાયઠ્ઠાઠા , મહેશભાઈ ગઢેચા વગેરે સ્વાગત સન્માન કરતાં કિરીટભાઈ ભાવ વિભોર બની ગયા હતા ત્યારબાદ જામજોધપુર રોકડીયા હનુમાન ભકતમંડળ દ્વારા સંચાલિત અન્નનશેત્ર તેમજ રોકડીયા હનુમાન મંદિરની મુલાકાત કરી હતી જયાં રોકડિયા હનુમાન દાદા ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતા અને અન્નક્ષેત્રની મુલાકાત લઈ તેમની સેવાકીય પ્રવુતિ ની વિગતો જાણી હતી જયાં કિરીટભાઈ નું સન્માન રોકડિયા હનુમાન મંદિરના ગુરુવરીય લખુદાદા તેમજ ગોસ્વામી સમાજના અગ્રણી તેમજ રોકડિયા હનુમાન મંદિરની તાજેતરમાં જ જેમને ગાદીપતિની જવાબદારી સોંપી છે તેવા રાજુગીરી મેધનાથી , રોકડિયા હનુમાન ભકત મંડળના સદસ્ય તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ ડાડાભાઈ ગઢવી , કાન્તિઅદા સવજાણી ,ડી. કે .કાજિયા વગેરે દ્વારા કિરીટભાઈ ગણાત્રા તેમજ લલિતભાઈ સવજાણી , ભારતીબેન સવજાણી ,મીનાબેન ચગ ( જૂનાગઢ) નું સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું ત્યારબાદ જામજોધપુર ના પ્રસિદ્ઘ જલારામ મંદિર ની મુલાકાત લઈ પૂજય જલારામ બાપાના દર્શન કરી કિરીટભાઈ એ ધન્યતા અનુભવી હતી દર્શનબાદ જલારામ મંદિર ના પ્રમુખ વિજય ભાઈ સોઢા ,ટ્રસ્ટી રમેશભાઈ રાયઠઠા ,દટ્રસ્ટી શ્રી હસુભાઈ સત્યદેવ ,ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ગઢેચા, ટ્રસ્ટી શ્રી મગનભાઇ પોપટ સાથે વિચાર ગોસ્ટી કરેલ હતી.વિવિધ ધર્મોસ્થળો ની મુલાકાત સમયે અકીલા પરિવાર જામજોધપુર ના લલિતભાઈ સવજાણી , મહેશભાઈ મકવાણા , દર્શનભાઈ મકવાણા , અશોકભાઈ ઠકરાર વગેરે હાજર રહ્યા હતા

શ્રી સવજાણી પરિવાર કુળદેવી ભવન જામજોધપુર ખાતે તા. ર૯ ને શુક્રવારે શ્રી રાંદલ માતાજીનો મનોરથ (સમુહ) માતાજીના લોટાનું આયોજન કરાયુ છે.

જેમાં તા. ર૯ ને શુક્રવારે સવારે ૭.૩૦ વાગ્યે શ્રી રાંદલ માતાજીની પૂજા કરવામાં આવશે.

જયારે તા. ર૯ ને શુક્રવારે શ્રી હરસિધ્ધિ માતાજી પાટોત્સવ અંતર્ગત સવારે ૬.૩૦ વાગ્યે દેહ શુધ્ધી સંકલ્પ, સવારે ૯ વાગ્યે પૂજનવિધી, હોમાત્મક કાર્ય, બપોરે ૧ર.૩૦ વાગ્યે બીડુ હોમ તથા બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નવચંડી યજ્ઞ, સુરધનદાદા તથા કુળદેવતાના નૈવેદ્ય, છેડાછેડીના નૈવેદ્ય તેમજ શ્રી રાંદલ માતાજીનો મનોરથ (સમુહ લોટા) અને શ્રી હરસિધ્ધિ માતાજીના પાટોત્સવના આચાર્યપદે જામજોધપુર નિવાસી વેદાંતાચાર્ય  પૂ. શ્રી પરિમલભાઇ કીતાના આચાર્યપદે વિધિવિધાન પુર્વક ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન ગીરધરલાલ વીઠ્ઠલજીભાઇ સવજાણી-યુ.કે.શ્રીમતિ ભાનુબેન ગીરધરલાલ સવજાણી પરિવાર ભરતભાઇ ગીરધરલાલ સવજાણી, શ્રીમતી મીનાબેન ભરતભાઇ સવજાણી, શ્રી વિકેશભાઇ ગીરધરલાલ સવજાણી, શ્રીમતિ હીનાબેન વિકેશભાઇ સવજાણી, શ્રીમતિ હર્ષિદાબેન નાગેશકુમાર તથા શ્રી નાગેશકુમાર કાન્તીલાલ ભાયાણી છે જયારે સહ યજમાન (પાટલા) પોથીના યજમાનશ્રીઓ જયંતિલાલ વીઠ્ઠલજીભાઇ સવજાણી-યુ.કે.પરિવાર, શ્રીમતિ જયાબેન જયંતિલાલ સવજાણી, શ્રી વિજયભાઇ જયંતિલાલ સવજાણી, શ્રીમતિ વીણાબેન વિજયભાઇ સવજાણી, શ્રી જીવનલાલ ગોરધનદાસ સવજીયાણી-શેઠવડાળા વાળા,શ્રીમતિ જશવંતીબેન જીવનલાલ સવજીયાણી-વાપી પરિવાર, શ્રી નિલેષભાઇ જીવનલાલ સવજીયાણી, શ્રીમતિ રિધ્ધીબેન નિલેષભાઇ સવજીયાણી પરિવાર રહ્યા હતા.

શ્રી હરિસિધ્ધિમાતાજી પાટોત્સવ, શ્રી મોટા નૈવેદ્ય-નવચંડી યજ્ઞના મુખ્ય યજમાનશ્રી, શ્રીભરતકુમાર સવજીયાણી શ્રીમતિ સુનિતાબેન ભરતકુમાર સવજીયાણી, રાહ યજમાનશ્રીઓ શ્રી ભીમજીભાઇ દેવચંદભાઇ ધ્રોણા-નાઇરોબી શ્રીમતિ ઉષાબેન ભીમજીભાઇ ધ્રોણા પરિવાર,શ્રી હનુભાઇ દેવુભાઇ સવજાણી-જામખંભાલીયા પરવિાર, રામકુમાર ઉનુભાઇ સવજાણી, શ્રીમતિ રૂપાબેન રામકુમાર સવજાણી, જયંતિલાલ વીઠ્ઠલજી સવજાણી-યુ.કે.પરિવાર શ્રી વિજયભાઇ જયંતિલાલ સવજાણી, શ્રીમતિ વીણાબેન વિજયભાઇ સવજાણી પરિવાર છે.

આ તકે પરિવારનાં સંનિષ્ઠ કાર્યકરો પોપટલાલ લવજીભાઇ-જામજોધપુર, પ્રભુદાસ દેવરાજભાઇ-ધ્રાફા, હેમરાજ દેવરાજભાઇ-ધ્રાફા, જીવનલાલ કાનજીભાઇ-મુંબઇ, પ્રાગજીભાઇ કુરજીભાઇ-ઇન્દોર, વૃજલાલ કુરજીભાઇ-ઇન્દોર, પ્રાગજીભાઇ નરશીભાઇ-પાનેલીમોટી મથુરાદાસ ભગવાનજીભાઇ-ભાવનગર, મગનલાલ વીઠ્ઠલદાસ-મોટીગોપ, કનુભાઇ દેવુભાઇ-જામખંભાલીયા, રતિલાલ હેમરાજભાઇ-ધ્રાફા, ચંદુલાલ મનજીભાઇ-જામજોધપુર, છોટાલાલ લવજીભાઇ-જામજોધપુર, નારણદાસ જશરાજભાઇ-સણોસરા, ગોરધનદાસ ડાયાભાઇ-શેઠવડાળા, જમનાદાસ ધનજીભાઇ-મોટાવડિયા, જમનાદાસ કુરજીભાઇ-મુંબઇ, નાથાલાલ વાલજીભાઇ-જામજોધપુર, નાથાલાલ પોપટલાલ-જામજોધપુર, મુકુંદરાય છોટાલાલ-જામજોધપુર, ઉદયભાઇ જગજીવનભાઇ-જામજોધપુર, પરેશભાઇ છોટાલાલ-જામજોધપુર, હિતેષભાઇ લક્ષ્મીદાસ-જામજોધપુર સહિતને યાદ કર્યા હતા.

આ કાર્ય માટે રાજેન્દ્ર રતિલાલ સવજીયાણી-વેરાવળ, હરીશ રસીકલાલ સવજીયાણી-વેરાવળ, અરવિંદભાઇ એમ,ધ્રોણા-વર્ધા, રાજુભાઇ એમ.ઠકકર-અમદાવાદ, ભરતકુમાર સવજાણી-મુંબઇ, જીતેન્દ્ર જીવનલાલ સવજાણી-મુંબઇ, રમેશકુમાર કાનજીભાઇ સવજાણી-પોરબંદર, રામભાઇ કનુભાઇ સવજાણી-જામખંભાલીયા, રમેશ મથુરાદાસ સવજાણી-જામખંભાલીયા, રમેશ લીલાધર સવજીયાણી-રાજકોટ, લલીત લીલાધર સવજીયાણી-રાજકોટ, જગદીશભાઇ ઠાકરશીભાઇ સવજાણી-વાપી, ડો.મહેન્દ્રભાઇ પી.સવજીયાણી-ઉપલેટા, ચંદ્રકાંત જમનાદાસ સવજાણી-કેવડી, પરેશકુમાર ભગવાનભાઇ સવજાણી-પોરબંદર,દિનેશ રતિલાલ સવજીયાણી-પાનેલીમોટીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

જયારે કાકુભાઇ મનજીભાઇ-મુંબઇ, ગોપાલદાસ મનજીભાઇ-મુંબઇ, જીવનલાલ ગોરધનદાસ-વાપી, અમૃતલાલ તુલશીદાસ-રાજકોટ, શાંતીલાલ જમનાદાસ-ધ્રાફાનુ માર્ગદર્શન મળ્યુ છે.

પ્રભુદાસ દેવરાજ સવજીયાણી પરિવાર, જમનાદાસ ધનજીભાઇ સવજાણી પરિવાર, વૃજલાલ બાલુભાઇ સવજાણી પરિવાર, મગનલાલ વીઠ્ઠલદાસ સવજાણી પરિવાર, નાથાલાલ વાલજીભાઇ સવજાણી પરિવાર, વલ્લભદાસ લવજીભાઇ સવજાણી પરિવાર,મગનલાલ લવજીભાઇ સવજાણી પરિવાર, છોટાલાલ લવજીભાઇ સવજાણી પરિવાર, લક્ષ્મીદાસ લવજીભાઇ સવજાણી પરિવાર, જગજીવન પોપટલાલ સવજાણી પરિવાર આ કાર્યક્રમમાં સતત કાર્યરત છે.

વધુ વિગત માટે કાંતીભાઇ સવજીયાણી (મો.૯૪૨૮૫ ૬૯૪૬૨), રાજુભાઇ સવજાણી (મો.૯૯૨૫૫ ૬૮૩૬૯), મહેન્દ્રભાઇ સવજાણી (મો.૯૯૭૯૬ ૨૭૦૯૯), કિરીટભાઇ સવજાણી (મો.૯૪૨૬૯ ૯૪૫૨૧)ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

(11:44 am IST)