Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રિલાયન્સે સતત બીજા વર્ષે તિરૂપતિ મંદિરને ૧.૧૧ કરોડનું દાન આપ્યું : મેડિકલ ક્ષેત્રે વપરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) દ્વારા રૂ. ૧.૧૧ કરોડનું દાન તિરૂપતિ (આંધ્રપ્રદેશ) ખાતે ભગવાન વેંકટેશ્વરના દેવસ્થાનને રવિવારે આપવામાં આવ્યું હતું, એમ મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું. આ દાન પર્વત પર આવેલા પ્રસિધ્ધ તિરૂમાલા દેવસ્થાનમાં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ (ટી.ટી.ડી.) ટ્રસ્ટને જિંદગી સામે ખતરો પેદા કરતાં રોગોથી પિડાતા ગરીબ લોકોની મદદ કરવા માટે આપવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એકઝીકયુટીવ ડાયરેકટર પી.એમ.એસ. પ્રસાદે કંપનીના પ્રતિનિધિ તરીકે દેવસ્થાનમાં પૂજાપાઠ કર્યા બાદ આ રકમનો ડીમાન્ડ ડ્રાફટ ટી.ટી.ડી.ના જોઇન્ટ એકઝીકયુટીવ ઓફિસરને આપ્યો હતો, એમ ટી.ટી.ડી.ના સૂત્રોએ જણાવ્યું હતું.આ દાનનો ઉપયોગ મંદિર દ્વારા સંચાલિત સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલ નિઃશુલ્ક મેડિકલ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.  આર.આઇ.એલ.એ ગયા સપ્ટેમ્બરમાં પણ આ જ હેતુ માટે રૂ.૧.૧૧ કરોડનું દાન કર્યું હતું.

(3:53 pm IST)