Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરેન્દ્રનગરના રતનપર પિતાએ અવસાન પહેલા લીધેલા નાણા મુદ્દે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પુત્રીએ ફિનાઇલ પીધુ

વઢવાણ, તા.૨૭: રતનપરમાં રહેતી યુવતીના પિતા ૮ માસ પહેલા મૃત્યું પામ્યા હતા. ત્યારે પિતાએ વ્યાજે નાણા લીધા હોવાનું કહી યુવતી પાસે ૩ શખ્સો અવારનવાર ઉઘરાણી કરતા હતા. જેનાથી તંગ આવી જઇ યુવતીએ ફિનાઇલ પી લીધું હતું. આ બનાવની ૩ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

 રતનપર ૩૪ નંબર સામેની ગલીમાં રહેતા આશીયાનાબેન યુનુસભાઇ મીરાના પિતાનું ૮ માસ પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ રતનપર મીલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર અકબરભાઇ ઇસ્માઇલભાઇ ચૌહાણ અને સોહીલભાઇએ આવી તારા પિતાએ અમારી પાસેથી રૂપિયા ૨૮ લાખ વ્યાજે લીધા છે તેમ કહી ઉદ્યરાણી કરી હતી. જયારે મૂળીના સુખુભા વજુભા કાઠીયાએ રૂપિયા ૪ લાખની માંગણી કરી હતી. આ શખ્સો અવારનવાર આવી વ્યાજના પૈસાની માંગણી કરતા હોઇ તંગ આવી જઇ આશીયાનાબેને ફિનાઇલ પી લીધું હતું.જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડેલ છે.

(3:49 pm IST)