Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઉમાકાંત રાજયગુરૂને એનાયત થયો માતૃભાષા સંવર્ધન પારિતોષિક

 ભાવનગરઃ માતૃભાષા સંવર્ધન કાર્ય માટે એનાયત કરતો પારિતોષિક બીજા વર્ષે વ્યાકરણમાં કામ કરનાર સેવાર્થી ઉમાકાંત રાજયગુરૂને શહેરના પ્રબુધ્ધ સાહિત્યકારોની બહોળી સંખ્યામાં અપાયો. દરમાસે યોજાતી બુધ સભાના ઉપક્રમે ડો. પ્રતાપરાય પંડયાની પ્રેરણાથી દ્વિતિય માતૃભાષા સંવર્ધન પારિતોષિક સમારોહ યોજાઇ ગયો. કવિ માધવ રામાનૂજ, સાહિત્ય પરિષદના મહામાગ હર્ષદભાઇ ત્રિવેદીએ ઉમાકાંત રાજયગુરૂને આ પારિતોષિક એનાયત કર્યો આ પ્રસંગે કવિઓ પ્રબુધ્ધ સાહિત્યકારો શહેરના નાગરિકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તજજ્ઞોઓ માતૃભાષાના વેજ્ઞાનિક જીવન અભિગમ વિશે વિચારો વ્યકત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. છાયાબેન પારેખ તથા પ્રા. ડો. પ્રવિણભાઇ ઠકકરેએ કર્યુ હતું.

(2:03 pm IST)