Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરેન્દ્રનગરના દસાડામાં કૌટુંબિક ઝઘડામાં યુવકની હત્યા

રાજુ દેવીપૂજકની હત્યા કરનારાની શોધખોળ

વઢવાણ, તા.૨૩:  સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા ગામ ખાતે સાંજના સમયે દેવીપુજક પરિવારોમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ ઝદ્યડો વણસતા બંને પરિવાર ના જૂથો સામસામે આવી ગયા હતા ત્યારે ઝદ્યડામાં દ્યાતક હથિયાર તે યુવાન ઉપર હુમલો થતા રાજુ દેવીપુજક નામના યુવાનની આ ઝદ્યડામાં હત્યા થઈ હતી ત્યારે હાલમાં હત્યા થતાં દેવીપુજક સમાજ માં અરેરાટીભર્યો માહોલ સર્જાયો છે ત્યારે હાલમાં દશાડા પોલીસ દ્યટના સ્થળે પહોંચીને મૃતક રાજુના મૃતદેહને દસાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે રાજુની હત્યા ના આરોપીઓને ઝડપી પાડવા અને ગુનો નોંધવા તપાસ શરૂ કરી છે ત્યારે સામાન્ય બાબતમાં રાજુ નામના દેવીપૂજક યુવાનની હત્યા થયેલ છે ત્યારે દસાડા ગામ માં હત્યાના બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે પોલીસે ટોળાને ખસેડીને હત્યા અંગેની કામગીરી શરૂ કરવામાં આવે છે.

(12:56 pm IST)