Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

પાલીતાણાના આદપુર ગામે તળાવમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી કરૂણમોત :પરિવારમાં શોક

ભાવનગરના પાલીતાણા તાલુકાના આદપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત નિપજ્યા છે. બંને મિત્રો આજે રવિવારનો દિવસે હોવાથી આદપુર ગામે તળાવમાં ન્હાવા ગયા હતા. જ્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા જેમની જાણ સ્થાનિક યુવકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને બહાર કાઢી પાલીતાણા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવકોના મોતથી પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે

(8:16 pm IST)