Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ધારીમાં વિજ ધાંધીયાથી લોકો ત્રસ્ત નિયમીત વિજ પુરવઠો આપવા માંગણી

ધારી તા.૧૭:  વાયુ વાવાઝોડાના ચક્રવાત સામે પણ પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની કામગીરી સામે અનેક ફરીયાદો સામે આવી હતી. રીપેરીંગ કામમાં નબળા પૂરવાર થતા હતા. લોકોને અંધારપટમાં રાત્રી પસાર કરવી પડી હતી. લોકોના અગત્યના કામો ટલ્લે ચડી જાય છે. શહેરીજનોને અતિશય ગરમી  તેમજ મચ્છરના ત્રાસનો ભોગ બનવું પડે છે. હાલમાં વરસાદ પડતા મચ્છરજન્ય રોગચાળાનું વધ્યું છે. લોકોને પડતી કાયમી મુશ્કેલીનું કયારે અધિકારીઓ નિરાકરણ કરશે ? દરરોજવીજ પુરવઠોની માંગ એકસૂરે શહેરીજનોએ કરી છે.

 

(12:00 pm IST)