Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પોરબંદરમાં લોહારણા યુવા સેના સંસ્‍થા દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

પોરબંદરઃ રક્‍તદાન જાગૃતિ દિવસ એટલે કે ૧૪/૬ના રોજ પોરબંદરમાં શ્રી લોહરાણા યુવા સેના દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરાયું હતું. એકઠુ થયેલુ લોહી થેલેસેમિયા પિડીત દર્દીઓના લાભાર્થે આપવાનું નક્કી કરાયું હતું. કાર્યક્રમમાં સંસ્‍થાના પ્રમુખ હાર્દિક રાજા, નિકુંજ પંચમતીયા, સભ્‍યો સચીન ધામેચા, રોનક દાસાણી, માધવ મોનાણી, યોગેશ કોટેચા, નિશીત કારીયા, રાજ શિંગાળા, ભાર્ગવ મજીઠીયા, મિલન મજીઠીયા, મિહીર નાંઢા, ભાસ્‍કર બાદરશાહી તથા બીજા અનેક યુવાનોએ રક્‍તદાન કર્યુ હતું.

(11:00 am IST)