Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વિસાવદરમાં વિજયભાઈની સભા રદ્દઃ અમિતભાઈની સભા કારણરૂપ કે અન્ય ?

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભા યોજાનાર હતી પરંતુ અંતિમ સમયે આ જાહેરસભા રદ્દ કરવામાં આવી હતી. આ જાહેરસભામાં ઓછી જનમેદની હોવાથી રદ્દ કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યુ છે તો બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની જાહેરસભા યોજાઈ હોવાથી વિસાવદરમાં જનમેદની ઓછી ઉમટી હોવાનું ચર્ચાય રહ્યુ છે.

(3:33 pm IST)