Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગોંડલના મહારાજા સાહેબ જ્યોતીન્દ્રસિંહજી સાહેબના દિર્ઘ આયુષ્ય માટે ઠેરઠેર પ્રાર્થના

મહારાજા સાહેબનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં મહંત સ્વામી,રાજાબાપા માતાના મઢ સહિતના સંતો મહંતો અને રાજવી પરિવારના રાજવીઓ,દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો સહિતના લોકોએ ખબર અંતર પૂછીને પ્રાર્થના કરી છે

ગોંડલના વર્તમાન મહારાજા સાહેબ જ્યોતીન્દ્રસિંહજી અને મહારાણી કુમુદકુમારી બા સાહેબનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ઠેરઠર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબના દિર્ઘ આયુષ્ય માટે પ્રાર્થનાઓ થઈ રહી છે.આ સાથે જ ગોંડલ સ્ટેટના રાજવી પરિવારના ખબર અંતર પૂછવા માટે દેશભરના રજવાડાઓના રાજવીઓ,રાજકીય આગેવાનો,દેશવિદેશના ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબના ખબર અંતર પૂછવામાં માટે ટેલિફોન સંપર્કો સાધ્યા હોવાની વિગતો જાણવા મળી છે

.ત્યારે ગોંડલના વર્તમાન યુવરાજ સાહેબશ્રી હિમાંશુસિંહજી સાહેબનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગોંડલના  મહારાજા સાહેબ અને મહારાણી સાહેબનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા હજુર બંગલાને કોરોન્ટાઈન ઝોન અને ઓર્ચાડ પેલેસને બફર ઝોન જાહેર કર્યો છે.હાલમાં વર્તમાન મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની તબીયત ખૂબ જ સારી છે. પૂજ્ય સંતો મહંતો,જુદા જુદા રાજવીઓ, રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ મારો ટેલીફોન સંપર્ક સાધીને રાજવી પરિવારના ખબર અંતર પૂછ્યા હતા.

 

ગોંડલ રાજવી પરિવારમા કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી,કચ્છ માતાના મઢના ગાદીપતિ રાજાબાવા,સરસઈ વિસાવદર ભૈરવદાદાની જગ્યાના મહંત,રામનાથ ધામ ગોંડલ ના ટ્રસ્ટી મંડળ સહિતના લોકો રાજવી પરિવારના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી છે.તો બીજી તરફ કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજા,ઉદયસિંહજી જુબ્બલ સ્ટેટ-સીમલા,ભાવનગર મહારાજા સાહેબ વિજયરાજસિંહજી સાહેબ, મોરબી રાજ પરીવાર  સહિતના દેશભરના અનેક રજવાડાના રાજવીઓ ,ઉદ્યોગપતિઓ, દેશવિદેશના  મહાનુભાવો  કાર રેસરો,ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સહિતના અનેક  લોકોએ રાજવી પરિવારના ખબર અંતર પૂછ્યા હતાં.

  આ સાથે ગોંડલ રાજવી પરિવારમાં કોરોના આવતા ગોંડલમાં પણ ઠેર ઠેર રાજવી પરિવાર વહેલી તકે કોરોના મુકત બને અને મહારાજા સાહેબ અને મહારાણી સાહેબ વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય,સાશક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ  જાડેજા,પૃથ્વીસિંહ જાડેજા તેમજ નગર પાલિકા સદસ્યશ્રીઓએ, વિવધ શ્રેત્રના અગ્રણીશ્રીઓ તથા દરબાર  સાહેબ જીતેન્દ્રભાઇ ખાચર એ પણ ગોંડલના રાજવી પરિવારના ખબર અંતર પૂછીને દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હોવાનું ગોંડલ રાજવી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે...

(8:01 pm IST)