Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જન્માષ્ટમીના પવિત્ર દિવસે શ્રી હનુમાનજી મહારાજના મંદિરમાં પુષ્પ શણગાર

(નિરંગ ગઢીયા) ઉના : શ્રી સ્વામી નારાયણ ગુરૃકુળ દ્રોણેશ્વર ખાતે જન્માષ્ટમીના પવિત્ર દિવસે દાદાના મંદિરમાં પુષ્પોથી સુંદર શણગાર કરાયો. સવારે સર્વ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરી માખણ મિસરી અને સુકામેવાનો ભોગ અર્પણ કર્યો હતો. ત્યારબાદ શ્રી કષ્ટભંજન દેવની આરતી સાથે પુજારીએ ભગવાનને પ્રાર્થના કરી દેશ અને દુનિયામાંથી કોરોના મહામારીનો નાશ થાય. ધાર્મિક, સુજન, ચિરાગ, મહેશ, હાર્દિકભાઇ વગેરેએ સેવા કરી હતી.

(6:45 pm IST)