Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જૂનાગઢ ગિરનાર ડોળી એશો. દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆત આંદોલનની ચિમકી

જૂનાગઢ : રોપવેની મંજૂરી વખતે ડોળી મંડળનો પ્રશ્ન તત્કાલ પૂર્ણ કરવા એશો. દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે. આ એશોસિએશને પાઠવેલ પ્રશ્નોમાં જણાવ્યુ હતુ કે, ડોળીવાળાઓના પ્રશ્નો હલ થયા નથી ત્યારે સાત દિવસમાં આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરાઇ છે. આ સમસ્યા હલ નહી થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે તેમ એશો. પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યુ હતુ.

(12:02 pm IST)