Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જાફરાબાદમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો

ગાંધી પરિવારે દેશને પરિવારવાદમાં ધકેલી દીધો : વિજયભાઇ રૂપાણી

અમરેલી, તા. ૧ર : ''ગાંધી પરિવારે દેશને પરિવારવાદમાં ધકેલી દીધો છે'' તેમ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે જાહેરસભા સંબંધોતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ભાજપની કેન્દ્ર અને રાજયની સરકાર કોઇ એક ધર્મ કે જાતિ માટે નહીં પરંતુ સૌના વિકાસ માટે સદાય તત્પર રહે છે.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના લોકો વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદીથી ડરી ગયા છે અને કોંગ્રેસ દ્વારા દેશની સાથે ગદારી કરવામાં આવી રહી છે.

આ તકે ભાજપના સાંસદ અને ઉમેવાર નારણભાઇ કાછડીયા તથા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:11 pm IST)