Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જામનગર જિલ્લામાં વધુ એક ખેડૂતનો આપઘાત :જોડિયાના લખતરમાં આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મૃતક ખેડૂતે સગા સંબંધીઓ પાસેથી ઉછીનાં લીધેલ નાણાં ભરપાઇ ન કરી શકવાને કારણેમોત વ્હાલું કર્યું

જામનગર : જામનગર જિલ્લામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે જોડિયા તાલુકાના લખતર ગામે વધુ એક તાતે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેના મૃતક ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે જામનગરનાં જોડિયાનાં લખતર ગામમાં એક ખેડૂતે આપઘાત કર્યો છે. પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ આર્થિક સંકડામણને કારણે ખેડૂતે આ અંતિમ પગલું ભર્યું છે. આ ખેડૂતે સગા સંબંધીઓ પાસેથી ઉછીનાં નાણાં લીધા હતા. પરંતુ તે ભરપાઇ ન કરી શકવાને કારણે ઝેરી દવા પી લીધી હતી. પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. આ સમાચાર ગામમાં ફેલાતા સ્થાનિકો પણ તેના ઘરે સાંત્વના આપવા પહોંચી ગયા હતાં

(12:59 pm IST)