Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કચ્છ-ભાવનગર-બોટાદમાં સભા ગજવતા રાજનાથસિંહ

જીતુભાઇ વાઘાણી પણ કચ્છના પ્રવાસેઃ અમિતભાઇ શાહનો અમદાવાદનો પ્રવાસ રદ

રાજકોટ તા.૧૨: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે કચ્છ-સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે બપોરે ૧૨ વાગ્યા આસપાસ કચ્છના ગાંધીધામ અને સાંજે ભાવનગર તથા બોટાદમાં જાહેરસભા સંબોધનાર છે. જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીઅમિતભાઇ શાહનો છેલ્લી ઘડીએ ગઇકાલે પ્રવાસ રદ થયો હતો.

લોકસભા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત મહત્વના રાજ્ય તરીકે સ્થાન મેળવી ચૂકયું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે આવી પહોંચનાર છે.

ભાજપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીના અનુસંધાને કચ્છ અને ભાવનગર લોકસભા ક્ષેત્રના ભાજપાના ઉમેદવારોના ચૂંણી પ્રચારમાં આજરોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ જાહેર સભાઓ સંબોધશે.

ગૃહપ્રધાન રાજનાથસિંહ સવારે ૧૧:૦૦ કલાકે કચ્છ લોકસભાની ગાંધીધામ વિધાનસભાની જાહેર સભા સંબોધશે. સિંધુ ભવન હોલ, ગાંધીધામ, જિ.કચ્છ ખાતે સભા યોજાશે.

સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ હોલ ખાતે અને ત્યાંથી ૫:૩૦ કલાકે બોટાદ વિધાનસભા વી.પી.બંગલો પાસે, ભાવનગર રોડ, બોટાદ ખાતે જાહેર સભા સંબોધશે.

ભુજનો અહેવાલ

ભુજઃ કચ્છથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે બપોરે ચૂંટણી પ્રવાસનો પ્રારંભ કરનાર છે.

જયારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આજે બપોર બાદ રાપર અને આધોઇ ખાતે જાહેરસભા સંબોધશે.

(12:12 pm IST)