Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જામજોધપુર લોહાણા જ્ઞાતિના પરિવારજનોને દિવાળી પ્રસંગે અનાજ વિતરણ

જામજોધપુર : લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે જરૂરિયાતમંદ જ્ઞાતિના પરિવારજનોને સ્વ.વૃજલાલ વલ્લભદાસ પાબારી તથા ગં.સ્વ.પ્રફુલાબેન વૃજલાલ પાબારી હસ્તે સુનિલ પાબારી (વાપી) તથા ભાવિન પાબારી (સ્વીટઝલેન્ડ) પરિવારના સૌજન્યથી અનાજ વિતરણ કરાયુ હતુ. ઉપરોકત પ્રસંગે કથાકાર ભાવેશદાદાએ હાજરી આપેલ.

(11:36 am IST)