Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિરમગામમાં ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ

 વઢવાણ : વિરમગામ-માંડલ-દેત્રોજ-સાણંદ તાલુકા ભૂતપૂર્વ સૈનિકો દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ની બેઠક ગાયત્રી મંદિર,મુનસરરોડ ખાતે પ્રમુખ નિમાવત જીતેન્દ્રજી ની અધ્યક્ષતા માં યોજાઇ હતી જેમાં દીપ પ્રાગટ્ય, શહીદ સૈનિકોને શ્રદ્ઘાંજલિ, શહીદોના પરિવારજનો નું સન્માન સહિત વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ તાલુકા માજી સૈનિક સંગઠન ના પ્રમુખ તરીકે નટુભાઈ સીતાપરા અને ઉપપ્રમુખ દશરથભાઈ ઠાકોર ની નિમણૂક કરવામાં આવી હતી તેમજ માજી સૈનિક ના પરિવાર ને તેમજ શહીદ જવાનના પરિવાર માટે રાજય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય સહિતના વિવિધ ૧૪ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને રાજય સરકાર દ્વારા માજી સૈનિકો ને મળતા લાભ માં અન્ય રાજયોની સરખામણીએ અન્યાય થતો હોય ગુજરાત માંજી સૈનિક સંગઠન દ્વારા રજુ કરેલ વિવિધ ૧૪ મુદ્દાઓની માંગણી સરકાર દ્વારા સ્વીકારવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી ંઅમદાવાદ જિલ્લા હોદ્દેદારો બાવા રમેશભાઈ,ગજેન્દ્રસિંહ, જગતભાઈ ત્રિપાઠી, દવે વિપુલકુમાર સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ,મંગળસિંહ ઝાલા-ધાંગધ્રા તાલુકા પ્રમુખ,નીતિનભાઈ ગોલાણી,ખોજાણી રિયાઝભાઈ રહેમાનભાઈ, ધોળકા બાવળા પ્રમુખ મહેશભાઈ જાદવ, મગનભાઈ વીહેરીયા, વિરમગામ ના નટુભાઈ સીતાપરા, દશરથભાઈ ઠાકોર વગેરે સ્ટેજ પર થી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.(તસ્વીર  - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:34 am IST)