Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગઢડા બેઠક ઉપરથી ભાજપના આત્મારામ પરમાર ત્રીજી વખત ચૂંટાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૦ :. ગઢડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આત્મારામભાઈ પરમારનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર મત ગણતરીના છઠ્ઠા રાઉન્ડ દરમ્યાન જ હાર સ્વીકારી મતદાન મથકમાંથી ચાલ્યા ગયા હતા.

ભાજપે ગઢડા વિધાનસભા બેઠક ઉપર જ્વલંત વિજય મેળવ્યો છે. મત ગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર આત્મારામભાઈ પરમાર સરસાઈ મેળવી રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીએ છઠ્ઠા રાઉન્ડની  મત ગણતરીના અંતે જ હાર સ્વીકારી ભાજપના ઉમેદવાર આત્મારામભાઈ પરમારને શુભેચ્છા પાઠવી મત ગણતરી કેન્દ્ર છોડી ચાલી ગયા હતા.

મત ગણતરીના ૧૫ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આત્મારામભાઈ પરમાર કોંગ્રેસના ઉમેદવારથી ૧૫૬૪૬ મતથી આગળ હોય તેની જીત નિશ્ચિત થયેલ. ભાજપના કાર્યકરોએ ભારે હર્ષોલ્લાસથી વિજયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપમા આત્મારામભાઈ પરમાર અગાઉ બે વખત આ બેઠક ઉપર ચૂંટાયા છે. આ તેમની ત્રીજી જીત છે.

(11:27 am IST)