Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

જુનાગઢ : મયારામ દાસજી આશ્રમ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૨૧ મો સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માનનું ઉદ્ઘાટન જુનાગઢ પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી તેમજ મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળના ડી.ટી. વસાવડાએ દીપ પ્રગટાવી ખુલ્લુ મુકયુ હતું.

આ પ્રસંગે શ્રીમતી પ્રવિણાબેન ચોકસી, ભોગીભાઇ ભટ્ટ, રાજેશભાઇ લાલચેતા, પરાગભાઇ કોઠારી, રમેશભાઇ શેઠ, દામજીભાઇ પરમાર, બટુકબાપુ, ડો.પાર્થ ગણાત્રા, મનીષભાઇ લોઢીયા, દિલીપભાઇ લોઢીયા, નરસિંહભાઇ વાઘેલા, અમુદાનભાઇ ગઢવી, કાંતીભાઇ કીકાણી, ચંદ્રકાંતભાઇ જોષી, ગીરીશભાઇ મશરૂ, જયેશભાઇ ઉપાધ્યાય, યાકુબભાઇ મેમણ, કીશોરભાઇ ચોટલીયા, વિજયાબેન લોઢીયા, આરતીબેન જોષી, શુશીલાબેન શાહ, પુષ્પાબેન પરમાર, વર્ષાબેન બોરીચંાગર, જયશ્રીબેન વેકરીયા, અમુભાઇ પાનસુરીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

આ સમારોહને સફળ બનાવવા માટે સંસ્થા ઉપપ્રમુખ અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, અલ્પેશ પરમાર, કમલેશભાઇ પંડયા, કચરાભાઇ પરમાર, કે.કે. ગોસાઇ, બચુભાઇ વાણીયા તેમજ મયારામદાસજી આશ્રમના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી.

(1:19 pm IST)