Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રસ્તા પર અચાનક ખુટિયો આવી જતાં પાંચપીપળા બાઇક ચાલક કિશોરનુ મોતઃ એક ગંભીર

ભાવનગર તા.૦૬:  તળાજા ભાવનગર નેશનલ હાઇવે પર ઠેરઠેર ગૌવંશ રસ્તાની વચ્ચે  અડિંગો જમાવી બેસીજાય છે.જે હવે સાક્ષાત યમદૂત બની રહ્યાછે.રાત્રીના સમયે રાજપરા-૨,તરફથી  બાઈકપર સવાર થઈને બે યુવાનો નજીકના પોતાના ગામ પાંચ પીપળા આવી રહ્યા હતા ત્યારે અચાનક એક ખુટિયો રસ્તાવચે આવીજતા બાઈક ચાલકને શિંગડું વાગી જતા મોત ને શરણે થયો હતો.પાછળ બેસેલા યુવાનને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

બનાવ અનુસંધાને તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો અનુસાર પાંચ પીપળા ગામના ભવદીપ ગોરધનભાઇ વાઢેર ઉવ આ.૧૫ પોતાના મિત્ર વિજય પ્રવીણભાઈ મકવાણા ને પોતાની બાઈક પર બેસાડી નજીકના રાજપરા -૨ ગામેથી પોતાના ગામ આવી રહ્યા હતા. એ સમયે અચાનક અહીં અડિંગો જમાવી બેસેલા ખુટિયો વચમાં આવી જતા અને ખુટિયા નું શિંગડું ભવદીપ ના છાતીના ભાગે વાગીજતા બન્ને તરુણ ફંગોળાઈને પડ્યા હતા.જેમાં ભવદીપ વાઢેર નું સ્થળ પરજ કરુણ મોત નિપજેલ.

સાથેના વિજય મકવાણા ને ગંભીર ઈજાઓ સાથે તળાજા ૧૦૮ના  ઇએમટી દિનેશ દિહોરા,પાયલોટ ઋષિરાજસિંહ સર્વીયા દ્વારા સારવાર આપી તળાજા ખસેડવામાં આવેલ.મૃતક ને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ.

(12:22 pm IST)