Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કાલે પડધરીના મોવૈયામાં સ્વ.વિઠ્ઠલભાઇને શ્રદ્ધાંજલી કાર્યક્રમઃ સહકારી મંડળીની સભા

રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ હાજર રહશે

પડધરી તા. ૬ : તાલુકાના મોવૈયા ગામમાં પોરબંદરના પૂર્વ સાંસદ, સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ, સહકારી લોકસેવક સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રદ્ધાંજલી આપવા શ્રી મોવૈયા જુથ સેવા સહકારી મંડળી અને મોવૈયા જળ સિંચન મંડળીના સંયુકત ઉપક્રમે કાલે તા.૭ શનિવારે સાંજે પ વાગ્યે શ્રદ્ધાંજલી  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છ.ે

જયેશભાઇ રાદડીયા (મંત્રીશ્રી નાગરીક પુરવઠા) મોહનભાઇ કુંડારીયા (સાંસદશ્રી રાજકોટ), અરવિંદભાઇ રૈયાણી, (ધારાસભ્યશ્રી), બાવનજીભાઇ મેતલીયા (પૂર્વ ધારાસભ્ય પડધરી-ટંકારા) ડો.ડાયાભાઇ પટેલ (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા પંચાયત) વિજયભાઇ કોરાટ, ધીરૂભાઇ તળપદા, રતીભાઇ બોડા, રાઘવજીભાઇ લુણાગરીયા, અશ્વીનભાઇ ગઢીયા, પરેશભાઇ પીપળીયા, તરશીભાઇ તાલપરા, ડી.કે. સખીયા (પ્રમુખ રાજકોટ જીલ્લા ભાજપ), હેમભા જાડેજા (વિસામણ) હઠુભા જાડેજા, પ્રવિણભાઇ હેરમા, મનોજભાઇ પેઢડીયા, ચતુરભાઇ સવેરા, નિલેશભાઇ તળપદા તેમજ પડધરી તાલુકાની તમામ સહકારી સંસ્થાના પદાઅધિકારી, કર્મચારી, ઉપસ્થિત રહેશે. મોવૈયા જુથ સેવા સહકારી મંડળી અને મોવૈયા જળસિંચન વાર્ષિક સાધારણ સભાનું પણ સાથે આયોજન કરવામાં આવેલ છે.

(12:14 pm IST)