Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સાંજે ભાવનગરમાં કેન્દ્ર સરકારના શાસન યાત્રાને ૪ વર્ષ પુર્ણ થતા બૌધ્ધિક સંમેલન

મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં આયોજન

ભાવનગર તા. ૬ :.. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં 'સાફ નીયત અને સહી વિકાસ' ના નારા સાથે ભ્રષ્ટાચાર મુકત અને પારદર્શી સુશાસન સાથે ભાજપા સરકારની ઝળહળતી સિધ્ધીઓના ચાર વર્ષ પુર્ણ કરી વણથંભી વિકાસ યાત્રા આગળ વધારી રહી છે ત્યારે આ અવસરે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર-જીલ્લા દ્વારા આજે બુધવારે સાંજે ૬ કલાકે મેઘાણી ઓડીટોરીયમ હોલ, સરદારનગર ખાતે કેન્દ્રના મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષ સ્થાને, જીલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, જીલ્લા અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ શ્રી સનભાઇ મોદી, મેયરશ્રી નીમુબેન બાંભણીયાની વિશે ઉપસ્થીતીમાં શહેર - જીલ્લાના પ્રબુધ્ધ નાગરીકો માટેનું એક 'બૌધ્ધીક સંમેલન' નું આયોજન કરવામાં આવેલ છે.

શહેર અધ્યક્ષ સનતભાઇ મોદીએ જણાવ્યું કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં 'સાફ નીયત અને સહી વિકાસ' ના નારા સાથે કેન્દ્ર સરકાર વિકાસ યાત્રાને ઝડપભેર વેગ આપી રહી છે. લાખો-અબજોના કૌભાંડોથી ખદબદતી કોંગ્રેસની યુ. પી. એ. સરકારના કુશાસન સામે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીએ પરીશ્રમની પારાકાષ્ઠા સાથે પારદર્શી અને ભ્રષ્ટાચાર મુકત શાસન પુરૂ પાડી સુશાસનનો ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.સફળ બનાવવા મહામંત્રી વનરાજસિંહ ગોહીલ, રાજૂભાઇ બાંભણીયા, મહેશભાઇ રાવલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ બૌધ્ધીક સંમેલનમાં પધારવા શહેરની સામાજીક સંસ્થાઓ, ઔદ્યોગીક સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓ, એન. જી. ઓ., સંસ્થાના પ્રતિનિધીઓ, આગેવાનશ્રીઓ, શહેરના શ્રેષ્ઠીઓ, ડોકટરો, વકીલો, વેપારીઓ, શિક્ષકો વગેરે શહેરના પ્રબુધ્ધ નાગરીકોને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર - જીલ્લા વતી જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(11:35 am IST)