Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોરબંદર સાંદીપનીના ઋષિકુમારો દ્વારા રાશન વિતરણ

જુનાગઢ : પૂજય ભાઇશ્રીની આજ્ઞા અનુસાર પોરબંદરની ઝંૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિકોને ભોજન-સામગ્રીની અછત ન પડે એ હેતુથી સાંદીપની વિદ્યા નિકેતન સંસ્થા દ્વારા સાંદીપનીના ઋષિકુમારો દ્વારા રાહત રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહેલા રાઉન્ડમાં આ કીટનું વિતરણ મીલપરા શ્રમિક પરિવારોને પરિવાર દીઠ એક એક કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા બીજા રાઉન્ડમાં એરપોર્ટની સામે ઝૂંપડપટ્ટીઓમાં શ્રમિક પરિવારોને રાશન-કીટ વિતરણ કરવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:01 pm IST)