Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કાલે જામનગરના જાંબુડામાં પૂ.મોરારીબાપુના હસ્તે લોકગાયક સ્વ.લાખાભાઇ ગઢવીની પ્રતિમાનુ લોકાર્પણ

પૂ.આઇશ્રી કંકુ કેશરમાંના હસ્તે પ્રવેશદ્વારનુ લોકાર્પણ કરાશે

જામનગર તા.૫: કાલે શુક્રવારે સાંજે ૫ વાગ્યે પૂ.મોરારીબાપુના હસ્તે લોકગાયક સ્વ.લાખાભાઇ આપાભાઇ ગઢવીની પ્રતિમાનુ તથા પ્રવેશદ્વારનુ પ.પૂ.આઇશ્રી કંકુકેશરમાના હસ્તે લોકાર્પણ જામનગર જીલ્લાના જાંબુડામા કરવામાં આવશે.

સ્વ.લાખાભાઇ આપાભાઇ ગઢવીની સાર સાધનાના મીઠા સંભારણા સ્વરૂપે સ્મરણિકા પુસ્તિકાનુ વિમોચન પણ કરવામાં આવશે.

આ તકે રૂતુબેન અમરસિંહભાઇ રાબા, દિનેશભાઇ માવલ, સુરજીતસિંહ મહેડુ, યશવંતભાઇ લાંબા, નરહરભાઇ ગઢવીનુ સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે પૂ.રમેશભાઇ ઓઝા પૂ.શેરનાથબાપુ, પૂ.ઇન્દ્રભારતીબાપુના અંતરાશિષ પ્રાપ્ત થયા છે. પુરૂષોતમભાઇ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઇ દલસાણી, આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ, રાઘવજીભાઇ પટેલ, હસમુખભાઇ જેઠવા, કરશનભાઇ કરમુર, ચંદ્રેશભાઇ પટેલ, હસમુખભાઇ હિંડોચા ઉપસ્થિત રહેશે સંચાલન યોગેશભાઇ બોક્ષા કરશે.

રાત્રીના પદ્યશ્રી ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, મેરામણભાઇ ગઢવી, દેવરાજભાઇ ગઢવી, લક્ષ્મણભાઇ બારોટ, નિરંજનભાઇ પંડ્યા, હેમંતભાઇ ચૌહાણ, ભારતીબેન વ્યાસ, દમયંતિબેન બરડાઇ, સંગીતાબેન લાબડીયા, બિહારીદાન ગઢવી, જીતુ કવિ દાદ, ધીરૂભાઇ સરવૈયા તથા રાજુભાઇ ગઢવીના પુત્ર ભુવન ગઢવી સ્વરાંજલી આપશે.

(1:09 pm IST)