Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મોરબીમાં જેન્તિરામબાપાનો સત્સંગ

જૂનાગઢઃ ધુનડાના સંત જેન્તિરામ બાપાનો ગત રાત્રે મોરબી ખાતે જેન્તીભાઈ જેરાજભાઈ કામરીયાના નવનિર્મિત ગૃહના વાસ્તુ પ્રસંગે પૂ. જેન્તિરામ બાપાના સત્સંગનું આયોજન કરાયુ હતું. જેમાં સત પરિવારના અસંખ્ય સત્સંગી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગ દરમ્યાન પૂ. બાપાએ જણાવ્યુ હતુ કે આધી, વ્યાધી અને ઉપાધીમાંથી મુકત થઈ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તેને જીવનમા સાચા સદ્ગુરૂના ચરણે જવુ જોઈએ તે આ ત્રિવિધ તાપમાંથી ઉગારી મોક્ષમાર્ગ મેળવવા માર્ગદર્શન આપે છે (તસ્વીર-અહેવાલઃ વિનુ જોશી-જૂનાગઢ)

(1:03 pm IST)