Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મોરબીમાં જૈન સમાજ દ્વારા ચાંદીના રથ સાથે ભવ્ય રથયાત્રા

મોરબીઃ જૈન સમાજ દ્વારા સવંત્સરીના પાવન પર્વ નિમિતે  દરબારગઢ ખાતેના દેરાસરથી ભગવાનની પાલખી અને ચાંદીના રથ સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જે રથયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરીને પ્લોટ દેરાસર શકિત પ્લોટ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી રથયાત્રામાં મોટી સંખ્યામાં જૈન શ્રદ્ઘાળુઓ જોડાયા હતા અને વાજતે ગાજતે રથયાત્રા યોજવામાં આવી હતી આ વર્ષે જૈન સંગીતકાર અને સેવાભાવી ભાવેશભાઈ દોશીએ ભગવાનને લઈને રથમાં બેસવાનો લાભ લીધો હતો તેમજ ભગવાનની પાલખી ઉપાડવાનો પણ શુભ અવસર તેમને સાંપડ્યો હોય જેથી ધન્યતા અનુભવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. રથયાત્રા નીકળી તે તસ્વીર.

(11:40 am IST)