Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ખંભાળીયામાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મસમાજ કાર્યાલયમાં શાષાોકત પુજન કરાયું

પરશુરામ તથા દ્વારકાધીશની પુજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૪ : ગઇ કાલે પરશુરામ જયંતી નિમિતે  અહીંના ચારરસ્‍તા પાસે બ્રહ્મ સમાજના કાર્યાલયમાં પરશુરામજી તથા દ્વારકાધીશનું શાષાોકત પુજનનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો.

બ્રહ્મ મિત્ર મંડળના વિનાયકભાઇ ભટ્ટ તથા હોરીયાભાઇ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતીમાં બ્રહ્મ સમાજ કાર્યાલયના મકાનનો સહયોગ આપનાર રાજુભાઇ વ્‍યાસ દંપતિને હસ્‍તે પુજા કરાવવામાં આવી હતી તથા પરશુરામજીની સ્‍તુતિ પાઠ તથા વેદોકત મંત્રોચાર દ્વારા પંડિતોએ પુજા કરાવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં બ્રાહ્મણો જોડાયા હતા. 

(1:17 pm IST)