Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ટંકારાના નવાગામ પાસે છતરગામના જીણાભાઇ પરમારનો ફાંસો ખાઇ આપઘાત

(પ્રવિણ  વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૪: ટંકારાના નવાગામ પાસેથી બાવળના ઝાડ સાથે છતર ગામેના યુવકે ગળેફાંસો ખાઈ લેતા મૃત્‍યુ નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસને માહિતી મળી હતી કે છતર ગામ રહેવાસી યુવક જીણાભાઈ સામજીભાઈ પરમાર (ઉ.૧૮) ᅠઅગમ્‍ય કારણોસર બાવળના ઝાડે ટિંગાઈને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ અંગે ટંકારા પોલીસની ટિમ ઘટના સ્‍થળે પહોંચી હતી. અને આપદ્યાતનું ચોક્કસ કારણ જાણવા સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ નોંધી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:25 pm IST)