Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પોરબંદરમાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી

પોરબંદર પરશુરામજીના જન્‍મોત્‍સવની ઉજવણી પ્રસંગે ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પૂજા અર્ચના અને આરતી સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા રાખેલ હોય મોટી સંખ્‍યામાં ભાઇઓ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન અને આરતી કરી હતી. ગોપનાથ મહાદેવ મંદિરના શાષાીજી વિનુભાઇ રાજયગુરૂ અને શાષાીજી ભીમભાઇ જોશી દ્વારા પૂજાવિધિ કરાવવામાં આવેલ હતી. ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી અશ્વિનભાઇ દવેનો આભાર વ્‍યકત કરવામાં આવેલ હતો. પ્રસાદી વ્‍યવસ્‍થા શહેર પ્રમુખ ઉદયભાઇ ભાભા ઠાકર દ્વારા કરવામાં આવી હતી. પરશુરામ ભગવાનના જન્‍મોત્‍સવની ઉજવણી  પ્રસંગે મહિલા પાંખના બહેનો દ્વારા આરતીની થાળી શણગારવામાં આવી હતી જેમાં બહેનોએ ફુલથી ડ્રાયફ્રુટથી કંકુ ચોખા વિવિધ કઠોળ અને આભલા મોતી વગેરે દ્વારા સુંદર આરતીની થાળી  તૈયાર કરી હતી અને ઉત્‍સાહપૂર્વક રાસ-ગરબા કરી ભગવાન શ્રી પરશુરામજીની જન્‍મ જયંતિની ઉજવણી કરી હતી. પરશુરામ ભગવાનના જન્‍મોત્‍સવની ઉજવણી પ્રસંગે મહામંત્રીશ્રી ગીરીશભાઇ વ્‍યાસ, ડાયાભાઇ જોશી, નીલેશભાઇ વ્‍યાસ, શ્રીધરભાઇ પુરોહિત, અશ્વિનભાઇ ઠાકર, ધવલભાઇ જોષી તારોભાઇ જોશી, શૈલેષભાઇ જોષી, દેવભાઇ પંડયા, કેતનભાઇ થાનકી સાથે મહિલા પાંખના જિલ્લા પ્રમુખ ક્રિષ્‍નાબેન, હેમાબેન ઠાકર, જાગૃતિબેન પંડયા, ચેતનાબેન પંડયા, કાજલબેન ઠાકર, મુદ્રીકાબેન જાની, ભૂમિબેન જોશી વગેરે ભાઇઓ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતાં. પરશુરામજી જયંતી ઉજવણીની તસ્‍વીર.

(1:53 pm IST)