Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ઉનામાં શાંતિ સમિતિની બેઠક મળી

 ઉના : મંગળવારે અજરા અમર ભગવાન શ્રી પરશુરામ જન્‍મ ઉત્‍સવ તથા રમજાન ઇદનાં તહેવારો કોમી ભાઇચારા શાંતિપૂવૃક ઉજવાય તે માટે પ્રાંત અધિકારી કચેરી એ જીલ્લા ગીર સોમનાથનાં એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ તથા પ્રાંત અધિકારી જવલંતભાઇ રાવલની આગેવાની હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં મામલતદાર ખાંભરા, તા. વિકાસ અધિકારી, પો. ઇન્‍સ્‍પે.મસી. નવાબંદરના પી.એસ.આઇ. ચૌહાણ ત્‍થા પી.એસ.આઇ. કંચનબેન પરમાર હાજર રહેલ હતા.  બન્ને સમાજમાંથી આગેવાનો નગરપાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, બ્રહ્મ સમાજનાં આગેવાન મનુભાઇ પંડયા, અરવિંદભાઇ જાની પરશુરામ યુવા સંસ્‍થાના પ્રમુખ હરેશભાઇ જોશી, નગરસેવક મોનજ ભાઇ બાંભણી, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગદળ વિગેરે સમિતિના આગેવાનો મુસ્‍લીમ સમાજના આગેવાન, યાદગાર બન્‍યુ, યુસુફભાઇ સોરઠીયા, હાજી સબીરસા તા મુસ્‍લીમ સમાજના વિવિધ સમિતિના આગેવાનો મોટી સંખ્‍યામાં હાજર રહેલ હતા. આગેવાનોએ શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરવા ખાતરી આપી હતી. બેઠક મળી તે તસ્‍વીર.

ગોંડલમાં પરશુરામ ભગવાનની મહાઆરતી

ગોંડલ બ્રહમ તાલુકા અને શહેર શ્રી પરશુરામ ભગવાનને આરતી ઉતારતા નજરે પડે છે જેમાં જેરામભાઇ, બ્રહમ સમાજ નજરે પડે છે.

(12:06 pm IST)