Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

દ્વારકાધીશ ભગવાનને કુંડલા ભોગ મનોરથ

દ્વારકાઃ દ્વારકાધીશ જગતમંદિરમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયાના પાવન અવસરે એક ભાવિક પરિવાર દ્વારા સાંજે ઠાકોરજીના ઉત્‍થાપન સમયે પૂજારી પરિવારની મદદથી વિશેષ કુંડલા ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. ઠાકોરજીના દૈદિપ્‍યમાન શૃંગાર સાથેના કુંડલા ભોગના દર્શન મનોરથનો પ્રત્‍યક્ષ રીતે ઉપસ્‍થિત હજારો ભાવિકોએ તેમજ ઓનલાઇનના માધ્‍યમથી લાખો વૈષ્‍ણવોએ ઠાકોરજીના દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી-દ્વારકા)

(11:03 am IST)