Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સુરેન્દ્રનગર-લખતર વચ્ચે આઇસર અને તુફાન વચ્ચે અકસ્માતઃ ૪ ઘાયલ

હરીદ્વારથી પરત આવતા ૩ યાત્રીકો અને ૧ મજુરને ઇજા

વઢવાણ, તા., ૧: સુરેન્દ્રનગર તથા લખતર વચ્ચે હાઇવે ઉપર આઇસર મેટાડોર અને તુફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ૪ વ્યકિતઓ ઘાયલ થયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ન્યુઝ પેપર લઇ સુરેન્દ્રનગર જઇ રહેલ તુફાન ગાડીને અકસ્માત નડયો હતો. જેમાં હરદ્વારથી ખોડુ પરત આવતા ત્રણ શ્રધ્ધાળુ ગંભીર રીતે ઘવાયા હતા તથા ડુંગરપુરથી નર્મદા કેનાલ પર કામ કરવા આવતો એક મજુર ઘાયલ થયો હતો.

આ તમામને લખતર ૧૦૮ દ્વારા ટીબી અને ગાંધી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

વહેલી સવારે ૪.૩૦ વાગ્યે આ અકસ્માત સુરેન્દ્રનગર અને લખતર વચ્ચે કડુ ઓળક વચ્ચે સર્જાયો હતો. (૪.૩)

(4:01 pm IST)