Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ખંભાળીયાના મહિલાનું કોરોનાથી મોત થતા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મૃત્યુઆંક ર

ખંભાળીયા કોરોના મહામારીમાં હરીશભાઇ જોષી નામના વિપ્ર પ્રૌઢનું સારવાર દરમ્યાન અવસાન જામનગર થયા બાદ ગઇકાલે વધુ એક વૃદ્ધા વિપ્રનું પણ જામનગરમાં સારવાર દરમ્યાન મરણ નિપજયું છે.

મુંબઇથી આવેલા ભોગાયતા પરિવારના શાંતાબેન રાજેશભાઇ ભોગાયતા ઉ.૭૮ તથા તેમના પુત્રને ખંભાળિયાથી જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડાયેલા અને સારવારમાં હતા જયાં શાંતાબેનનું ગઇકાલે સારવારમાં મૃત્યુ નિપજયું હતુ઼ જો કે કોરોનાગ્રસ્ત બનેલા શાંતાબેન ૪૦ વર્ષથી ડાયાબીટીશ તથા અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા.

દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીથી મૃત્યુઆંક બે થયો છે તથા હાલ સાત દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ચાર ખંભાળિયા અને  ત્રણ જામનગરના છે.

મૃતકના પુત્ર રણજીતભાઇ રાજેશભાઇ ભોગાયતા ઉ.૪૮ વાળાને કોરોના નેગેટીવ થતા તેમને ગઇકાલે સાંજે જામનગરથી ડિસ્ચાર્જ કરાયા હતા. તથા હોમ કોરોટાઇન કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ વિસ્તારમાં સર્વેલન્સની ટીમો દ્વારા તથા હોસ્પિટલોમાં કોરોના લક્ષણગ્રસ્તોના ૩૮૦૭ ના ટેસ્ટીંગ કરાયા છે. તથા ૦રર૮પ વ્યકિતઓ કોરોટાઇન સમય પુર્ણ કરીને મુકત થયા છે.

(1:02 pm IST)