Gujarati News

Gujarati News

પતિ સાગરના મહાત્રાસ સામે મજબૂર મનિષાએ બે માસુમસંતાનને મારી નાંખી જીવ દીધોઃ પતિને પોલીસે દબોચ્‍યો: રાજકોટમાં કરૂણ ઘટનાઃ પરિણીતાએ મર્યા પહેલા ‘હું મરી જાવ છું અને મારા મોત માટે જવાબદાર મારા પતિ સાગર પરમાર તથા સાઇબાબા ચોક સરકારી હોસ્‍પિટલ ઉપર રહે છે તે જવાબદાર છે, મેં મારા બંને છોકરાને પણ મારી નાંખ્‍યા છે'...વિડીયો સોશિયલ મિડીયામાં અપલોડ કર્યો:પુત્રી ઇશિતા (ઉ.૬ મહિના) અને પુત્ર ભાર્ગવ (ઉ.વ.૩)ને ટૂંપો દઇ કે એસિડ પીવડાવી પતાવી દીધા બાદ મનિષાબેન (ઉ.વ.૨૬)એ ગળાફાંસો ખાઇ મોત મેળવતાં પરિવારજનોમાં શોકની કાલીમાઃ કણકોટ માવતર ધરાવતી મનિષાબેનના લગ્ન છ વર્ષ પહેલા રાજકોટ એસટી વર્કશોપ પાછળના આંબેડકરનગરમાં રહેતાં સાગર પરમાર સાથે થયા હતાં: છેલ્લા છ મહિનાથી સાગર પત્‍નિને અનહદ ત્રાસ આપતો હતોઃ વારંવાર મનિષાબેન માવતરે આવી ફરિયાદ કરી હતી, પણ માવતર તેને સમજાવીને પરત મોકલતાં હતાં: અંતે ત્રાસ સામે હારી ગઇ:મનિષાબેનના ભાઇ ગિરીશભાઇને રાતે પોણા બે વાગ્‍યે જંગલેશ્વરમાં રહેતાં ફઇના દિકરાએ જાણ કરી બહેન મનિષાનો વિડીયો બતાવ્‍યો:મનિષાબેન ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતીઃ છ વર્ષ પહેલા સાગર સાથે લગ્ન થયા હતાં: દિકરીના જન્‍મ પછી ત્રાસ ખુબ જ વધી ગયો હતો access_time 11:32 am IST