Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ખોડીયારપરા વિસ્તારમાં ગંદા પાણી વિતરણ સમસ્યા નહિ ઉકેલાય તો કોંગી કોર્પોરેટર દ્વારા ટેન્કરથી પાણી વિતરણ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩ના ખોડીયારપરા વિસ્તારમાં છેલ્લા ૧પ દિ'થી ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે વિસ્તારવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ સમસ્યા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ર૪ કલાકમાં  ઉકેલવા માંગ કરી છે. જયારે આ સમસ્યા નહિ હલ થાય તો કોંગી કોર્પોરેટર દ્વારા આ વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

(3:51 pm IST)