Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વકીલ હરિસિંહ વાઘેલાનું ઉપવાસ આંદોલન મુલત્વી

રાજકોટ, તા.૨૮: અત્રેના એડવોકેટ હરિસિંહ વાઘેલાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે, મોરબી જીલ્લા પોલીસ સુપ્રિ.ની સુચના મુજબ તેઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય અને ખોટી રીતે હેરાન કરવા ફરિયાદ થયેલ હોય તા.૩૧-૩-૨૦ થી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરેલ તેના અનુસંધાને હાલના પ્રવર્તમાન સમયને ધ્યાને લઇને પોતે જે ઉપવાસ માટેની મંજુરી અંગેની અરજી કરેલ છે, તે કોરોના વાયરસથી ગંભીરતા ધ્યાને લઇને હાલ આમરણાંત ઉપવાસ મુલત્વી રાખેલ હોવાનું જણાવેલ છે.

વધુમાં એડવોકેટ વાઘેલાએ જણાવેલ છે કે, ઉપરોકત બાબતે પોલીસ દ્વારા યોગ્ય  કરવામાં આવશે નહિ તો ફરી આંદોલન કરવાની ફરજ ઉભી થશે. એડવોકેટ વાઘેલાએ મોરબી પોલીસ સુપ્રિ અને અન્ય મામલતદારોને નોકરીમાંથી બરતરફ કરવામાં ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ઉપર ઉતારવાની જાહેરાત કરી હતી.

(2:49 pm IST)