Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શહેઝાદા અમ્મારભાઇ સાહેબ કાલે રાજકોટમાં : સમુહશાદીમાં નિકાહ પઢાવશે

રાજકોટઃ તા.૨૩, વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમા દાઇ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના શહેઝાદા તથા ત્રેપનમાં દાઇ ડો. સૈયદના આલી કદર મુફદુલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ) ના ભાઇ સાહેબ આલીવકાર શહેઝાદા અમ્મારભાઇ સાહેબ જમાલુદ્દીન (દા.મ.)  આવતીકાલે  રવિવારે રાજકોટ આવી રહયા છે.

રાજકોટ દાઉદી વ્હોરા સમાજ દ્વારા તા.૨૪ રવિવારના રોજ સમુહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે શહેઝાદા સાહેબ નિકાહ પઢશે.

દુલ્હાઓ સાથેનું  ભવ્ય પ્રોસેશન નુર મસ્જીદથી નીકળશે. તેમ શીખ યુસુફભાઇ જોહર કાર્ડસ વાલાએ જણાવ્યું છે.

(11:49 am IST)