Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સિવિલ હોસ્પિટલમાં મંદિર પાસે બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત

રાજકોટ તા. ૧૩: શહેરની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મંદિર પાસે બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પીટલ કમ્પાઉન્ડમાં શંકર ભગવાનના મંદિર પાસે એક અજાણ્યો વૃધ્ધ ઉ.વ. આશરે-૬ર બીમારી સબબ બેભાન પડેલ હોઇ, તેને સામાજીક કાર્યકર રમણીકભાઇ પરમારે વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી. પી. વેગડા તથા રાઇટર હિરેનએ કાર્યવાહી કરી હતી. જો કોઇ આ વૃધ્ધના સગા સબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:28 pm IST)