Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

એરપોર્ટ ફાટક પાસે અમદાવાદના યુવાનની હત્યાની કોશીષના ગુનામાં સગીર પકડાયો

પેરોલ ફરલો સ્કવોડે સગીરને રૈયા ગામ નવાવાસમાંથી દબોચ્યો

રાજકોટ તા. ૧૩ : એરપોર્ટ ફાટક પાસે રૂ.ર૦ હજારની ઉઘરાણી પ્રશ્ને અમદાવાદના મુસ્લીમ યુવાનની હત્યાની કોશીષના ગુન્હામાં ફરાર સગીરને પેરોલ ફરલો સ્કવોડે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ દિવ્વીજયસિંહ જાડેજા, બકુલભાઇ, બાદલભાઇ, મધુકાંતભાઇ, જયપાલસિંહ, ધીરેનભાઇ, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી, મયુરસિંહ તથા એસઓજીના વિનેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જયપાલસિંહ, મહંમદ અઝરૂદીનભાઇને મળેલી બાતમીના આધારે રૈયા ગામમાં નવાવાસમાંથી સગીરનેે પકડી લીધો હતો.

પકડાયેલો  સગીરની  પુછપરછ કરતા ગત તા.૯/૧રના રોજ અમદાવાદ જુહાપુરા હરીયારી સોસાયટીમાં રહેતા અકીલભાઇ અનુભાઇ વાઢા (ઉ.૩ર) રાજકોટ આવ્યા હતા ત્યારે તેણે ચારેક માસ પહેલા તૈફીક ઉર્ફે મુરીદ પાસેથી રૂ.ર૦,૦૦૦ ઉછીના લીધેલ હોઇ જેની તૌફીક મોબાઇલ ફોનમાં ઉઘરાણી કરતો હોઇ તેથી તે દિવસ તેણ અકીલભાઇને એરપોર્ટ ફાટક પાસે બોલાવી તૌફીક ઉર્ફે મુરીદ, વૈભવ અને નદીમ નામના  ત્રણેયે પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કરી તૈફીકે છરીવડે અને  નદીમે તથા સગીરવયના શખ્સે  સોડાબોટલના ઘા કરી જીવલેણ હુમલો કર્યો હતો આ બનાવ અંગે પ્રનગર પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ આઇપીસી ૩ર૪,૩૦૭, ૧૧૪ અને જીપીએકટ ૧૩પની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ બનાવમાં તે ફરાર હતો.

(3:28 pm IST)