Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

શાપર-વેરાવળમાં કતલખાને લઇ જવાતા બે પશુનો જીવ બચાવાયોઃ બે પકડાયા

શાપર-વેરાવળ પોલીસે રાજેશ બારીયા અને રાજેશ સાગઠીયાની ધરપકડ કરીઃ સુરેશની શોધખોળ

રાજકોટ, તા., ૧૩: શાપર-વેરાવળમાં પુલ પાસે બોલેરોમાં બે પશુને કતલખાને લઇ જતા બે શખ્સોને શાપર-વેરાવળ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ એન.એ.ચૌહાણ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે શાપરમાં શીતળા માતાના મંદીરવાળા પુલ પર રાજકોટ તરફ જતી જીજે ૧૭ યુયુ પ૪૧૧ નંબરની બોલેરોને શંકાના આધારે રોકી તલાશી લેતા બોલેરોના પાછળના ભાગે પાણી અને ઘાસચારા વગર ખીચોખીચ બાંધેલા બે પશુ મળી આવતા બોલેરોમાં બેઠેલા રાજેશ સાલમભાઇ બારીયા (ઉ.વ.૪પ)(રહે. શીતળા માતાના મંદિર પાસે રામ પાર્ક સોસાયટી) તથા રાજેશ ખુશાલભાઇ સાગઠીયા (ઉ.વ.૩૪) (રહે. ચામુંડાનગર માયાણીનગર મવડી મેઇન રોડને પકડી લીધા હતા. જયારે સુરેશ નામનો શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(11:36 am IST)