Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા છાશ કેન્દ્રનો પ્રારંભ

 ધૂન ભજનના કાર્યક્રમો થકી સેવા પ્રવૃતિ ચલાવતા શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી ઉનાળાના દિવસોમાં ઠંડી છાશ વિતરણનું કેન્દ્ર શરૂ કરાયુ છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે દાતા પરિવારના સર્વશ્રી પ્રવિણભાઇ શાહ (કચ્છી આશ્રમ, હરિદ્વાર), અશોકભાઇ ભટ્ટ (કથાકાર), તરૂબેન ચંદારાણા, વિણાબેન પાંધી, ડો. હેમાંગભાઇ વસાવડા, ડો. રાજુભાઇ રાજાણી, રમેશભાઇ માણેક, પ્રભુદાસભાઇ તન્ના (ગૌસેવક શ્રીજી ગૌશાળા), દુર્લભજીભાઇ તન્ના, શૈલેષભાઇ પટેલ, કાંતિભાઇ વાઘેલા, લવજીભાઇ પ્રજાપતિ (રિધ્ધિ સિધ્ધિ), ચેતનભાઇ દેવાણી, માલતીબેન શુકલ, કોર્પોરેટર કીરણબેન સોરઠીયા, મીનાબેન જસાણી (રઘુવીર સહીયર ગૃપ), જયેશભાઇ નથવાણી, હરેશભાઇ રાજદેવ, હરિશભાઇ (દુર્ગા જવેલર્સ), સંજયભાઇ પરમાર (અંબિકા જવેલર્સ), ગીતાબેન ચોટાઇ, હંસાબેન હીંડોચા, જયશ્રીબેન ખગ્રામ (ટ્રસ્ટી), હંસાબેન પડીયા (ટ્રસ્ટી), કાંતાબેન કોટેચા (ટ્રસ્ટી), કાંતાબેન કોટેચા (ટ્રસ્ટી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કુંદનબેન રાજાણી (મો.૯૮૨૪૩ ૭૨૧૨૨) ના માર્ગદર્શન હેઠળ ધુન મંડળના બહેનો પ્રેમિલાબેન, મધુબેન, ગૌરીબેન, દીવાળીબેન, શારદાબેન, જયોતિબેન, પુષ્પાબેન વગેરેએ જેહમત ઉઠાવી હતી.

(4:05 pm IST)