Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ડીડીઓ રાણાવાસિયાને ડેન્ગ્યુઃ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૧: જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાને બે-ત્રણ દિવસથી અસ્વસ્થતા જણાતી હતી. ગઇકાલે તપાસ દરમિયાન તેમના શરીરમાં ડેન્ગ્યુના લક્ષણ દેખાયેલ તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. ભૂમિ દવે તેમની સારવાર કરી રહ્યા છે તાવમાં રાહત છે તેમની તબિયત સતત સુધારા પર હોવાનું તબીબી વર્તુળો જણાવે છે.

(3:48 pm IST)